ગીર સોમનાથ: રસુલપરા ગામ નજીક ઢોર ચરાવવાની બાબતે યુવાનની હત્યાથી ચકચાર

ગીર સોમનાથ જીલ્‍લાના તાલાલા ગીરના શિરવાણ ગામે ઢોર ચરાવવા બાબતે સાસણગીરના યુવકની પંથકના બે યુવકોએ કુહાડીના ઘા

Update: 2021-11-07 11:52 GMT

ગીર સોમનાથ જીલ્‍લાના તાલાલા ગીરના શિરવાણ ગામે ઢોર ચરાવવા બાબતે સાસણગીરના યુવકની પંથકના બે યુવકોએ કુહાડીના ઘા ઝીકી કરપીણ હત્‍યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે

Full View

દિવાળી-નવા વર્ષના પર્વના દિવસોમાં સર્વત્ર ખુશીના માહોલ વચ્‍ચે ગીર સોમનાથ જીલ્‍લાના તાલાલા ગીર પંથકમાંથી હત્‍યાની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં નજીવી બાબતે બે યુવકોએ એક યુવકને રહેસી નાંખ્‍યા હોવાનું સામે આવતા પંથકમાં ચકચાર મચી ગઇ છે.તાલાલા ગીર પંથકના રસુલપરા ગામના રોડ પર સાસણ ગીર ગામે રહેતા હુસેન બ્‍લોચ નામના યુવકની બે યુવકોએ કુહાડીના ઘા ઝીકી કરપીણ હત્‍યા કરી નાંખી હતી. હત્‍યાની જાણ થતા તાલાલાના પોલીસ અઘિકારીએ સ્‍ટાફ સાથે ઘટનાસ્‍થળે દોડી જઇ તપાસ હાથ ઘરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં તાલાલા ગીરના શિરવાણ ગામની સીમમાં ઢોર ચરાવવા બાબતના મનદુ:ખમાં વાડલા ગામના દિનુ બચુ મીર અને રસુલપરા ગામના ફિરોઝ મકવાણા નામના બંન્‍ને યુવકો સાસણ ગીરના યુવક હુસેન બ્‍લોચની કરપીણ હત્‍યા કરી હોવાનું સામે આવ્યું છે. જેના પગલે ગણતરીના કલાકોમાં જ પોલીસે બંન્‍ને આરોપી યુવકોની અટકાયત કરી લીઘી હોવાનું જાણવા મળ્યું છે.

Tags:    

Similar News