રાજ્યમાં આજે કોરોનાના 40 નવા કેસ નોધાયા, એક દર્દીનુ થયું મોત

Update: 2022-03-11 15:13 GMT

ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 40 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 566 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 07 લોકો વેન્ટીલેટર પર છે. 559 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 12,12,011 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,938 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક પણ દર્દીનું મોત થયું નથી.

અમદાવાદ કોર્પોરેશનમાં 18, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, મોરબી 3, તાપી 2, વડોદરા 2, વડોદરા કોર્પોરેશનમાં 2, આણંદ 1, અરવલ્લી 1, દાહોદ 1, ડાંગ 1, ખેડા 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1, સુરત કોર્પોરેશન 1, સુરેન્દ્રનગર 1, વલસાડ 1 કોરોનાનો નવો કેસ નોંધાયો છે.

અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, કચ્છ, મહીસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠામાં એક પણ નવો કેસ નોંધાયો નહોતો.

બીજી તરફ આજે 82 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.06 ટકાએ પહોંચ્યો છે. આજે 78,925 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Tags:    

Similar News