જામનગર : 72મા વન મહોત્સવ પ્રસંગે મેયરના અધ્યક્ષસ્થાને રોપાઓનું વાવેતર કરાયું

મહાનગર પાલિકા કક્ષાનો 72મા વન મહોત્સવનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એરફોર્સ રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું

Update: 2021-08-14 09:58 GMT

જામનગર મહાનગર પાલિકા અને વન વિભાગ જામનગર દ્વારા મેયરના અધ્યક્ષ સ્થાને 72મા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અલગ અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

જામનગર મહાનગર પાલિકા અને વન વિભાગ જામનગર દ્વારા મેયર બિના કોઠારીના અધ્યક્ષ સ્થાને મહાનગર પાલિકા કક્ષાનો 72મા વન મહોત્સવનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એરફોર્સ રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર બિના કોઠારી અને મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડીના હસ્તે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પટાંગણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેમજ બિના કોઠારી દ્વારા આગામી સમયમાં જામનગર જિલ્લાને પણ વન મહોત્સવ આપવામાં આવે તેવી માંગણી કરી હતી. આ કાર્યક્રમમાં મેયર બિના કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, ગાર્ડન શાખા ચેરમેન ડીમ્પલ રાવલ, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી સહિત જેએમસી અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News