જામનગર : આયુર્વેદિક પધ્ધતિથી સંતાન પ્રાપ્તિ અર્થે ગર્ભો પરિષદ ફાઉન્ડેશન દ્વારા યોજાયો સેમિનાર...
ગર્ભો પરિષદ ફાઉન્ડેશન જામનગર અને ભારત વિકાસ પરિષદ જામનગરના સંયુક્ત ઉપક્રમે જામનગર ખાતે ગર્ભ સંસ્કાર અંગે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગર્ભો પરિષદ ફાઉન્ડેશન જામનગર અને ભારત વિકાસ પરિષદ જામનગરના સંયુક્ત ઉપક્રમે જામનગર ખાતે ગર્ભ સંસ્કાર અંગે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જામનગર : આયુર્વેદિક પધ્ધતિથી સંતાન પ્રાપ્તિ અર્થે ગર્ભો પરિષદ ફાઉન્ડેશન દ્વારા યોજાયો સેમિનાર...
જામનગર ખાતે યોજાયેલ ગર્ભ સંસ્કાર અંગે સેમિનારમાં ગર્ભ સંસ્કાર અને ઇન્ફર્ટિલિટી એકસપર્ટ ડો. કરિશ્મા નારવાણીએ ગર્ભ સંસ્કાર અંગે મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં 25થી વધુ દંપતિઓ જોડાયા હતા. આયુર્વેદિક પધ્ધતિથી ઉત્તમ સંતાન પ્રાપ્તિ કેવી રીતે થાય તે અંગે સમગ્ર માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન રાજ્ય તેમજ રાજ્ય બહારના લોકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષપદે ડોકટર હિતેશ જાની, મુખ્ય અતિથિ વિશેષ પદે નગરસેવક ડીમ્પલ રાવલ તેમજ અમિતા બંધિયા હાજર રહ્યા હતા.