જામનગર : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારના વિરોધમાં VHP દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરાયું

Update: 2021-10-20 14:56 GMT

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચાર અને ન્યાય માટે જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ હવાઈચોક ખાતે આતંકવાદના પૂતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું.

જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જામનગર જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેહાદીઓ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચાર, બળાત્કાર અને હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવે છે, તે ભારત સરકાર દ્વારા બાંગ્લાદેશ સરકાર પર દબાવ કરી બંધ કરાવવામાં આવે અને બાંગ્લાદેશમાં શેષ વધેલા હિન્દુઓને ન્યાય આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ શહેરના હવાઈ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આતંકવાદ અને જેહાદીઓના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News