AAPના CMનો ચહેરો જાહેર : ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર
ગુજરાત ચૂંટણીમાં પોતાની અને પોતાની પાર્ટીની તાકાત અજમાવવા જઈ રહેલા AAPના વડા અરવિંદ કેજરીવાલે આજે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી છે.
ગુજરાત ચૂંટણીમાં પોતાની અને પોતાની પાર્ટીની તાકાત અજમાવવા જઈ રહેલા AAPના વડા અરવિંદ કેજરીવાલે આજે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી છે. ઇસુદાન ગઢવી રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. દિલ્હી બાદ પંજાબમાં જીત મેળવનાર કેજરીવાલને ગુજરાતની ચૂંટણીથી મોટી આશાઓ છે.
ચૂંટણી પંચે ગુરુવારે ગુજરાત ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. રાજ્યમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. આ સાથે સત્તાધારી ભાજપ ઉપરાંત મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ, AAP અને AIMIM સહિત અન્ય પાર્ટીઓએ તૈયારીઓ તેજ કરી દીધી છે.