કચ્છ : આદિપુરમાં જર્જરિત એપાર્ટમેન્ટનો ભાગ ધરાશાયી, કાટમાળ નીચે દબાતા 5 વર્ષીય બાળકીનું મોત
કચ્છ જિલ્લાના આદિપુર શહેરમાં આવેલ જર્જરિત એપાર્ટમેન્ટનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો.
કચ્છ જિલ્લાના આદિપુર શહેરમાં આવેલ જર્જરિત એપાર્ટમેન્ટનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં કાટમાળ નીચે દબાય જતાં 5 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, કચ્છ જિલ્લાના આદિપુર શહેરમાં આવેલ ઘનશ્યામ એપાર્ટમેન્ટનો કેટલોક ભાગ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં આવી ગયો છે, ત્યારે બીજા માળનો કેટલોક જર્જરિત મલબો નીચે રહેતા ચોકીદારની ઓરડી પર પડ્યો હતો. આ ઓરડીના પતરા તૂટતાં મલબો મકાનમાં સુતેલી બાળકી પર પડતાં તેનું મોત નીપજ્યું હતું. 5 વર્ષીય નંદુશાહી નામની બાળકીનું મૃત્યુ થતાં નેપાળી પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું, આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર ભારે મચી હતી.