મોરેશિયસના PM આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે, વાંચો શું રહેશે કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે તેઓની સાથે મોરેશિયસના PM પ્રવિંદ જુગનાથ પણ આવશે.

Update: 2022-04-18 07:22 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે તેઓની સાથે મોરેશિયસના PM પ્રવિંદ જુગનાથ પણ આવશે. પ્રવિંદ જુગનાથ આજે રાજકોટની મુલાકાતે આવશે ત્યારે તેઓને આવકારવા માટે રાજકોટમાં ભવ્ય રોડ શોનું પણ આયોજન કરાયું છે. સાંજના 4:15 વાગ્યે મોરેશિયસના પ્રધાનમંત્રીને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.

4.15 વાગ્યાથી 5 વાગ્યા સુધી રોડ શો ચાલશે.આ રોડ શોમાં રૂટ પર અલગ-અલગ 25 સંસ્થાઓ દ્વારા મોરેશિયસના PMનું સ્વાગત કરાશે.પાંચ વાગ્યા બાદ મોરેશિયસના પ્રધાનમંત્રી હોટલમાં જશે. વધુમાં તમને જણાવી દઇએ કે, 25 પોઈન્ટ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી કરાશે. એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ સુધી કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રાચીન ગરબા, તલવાર રાસ, કથ્થક નૃત્ય રજૂ કરાશે. વંદેમાતરમ, લોકનૃત્ય વગેરેની પણ રજૂઆત થશે. પ્રવિંદ જુગનાથની સાથે WHO ના વડા પણ ઉપસ્થિત રહેશે.

Tags:    

Similar News