સોમનાથ : મકરસંક્રાતિએ સોમનાથ મહાદેવનો કરાયો અભિષેક, સુર્યપુજા છે ફળદાયી

પ્રભાસક્ષેત્રમાં આવેલાં છે અનેક સુર્ય મંદિર, મકરસંક્રાંતિના દિવસે સોમનાથમાં વિશેષ પુજા

Update: 2022-01-14 12:05 GMT

સોમનાથ ખાતે આવેલાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે મકરસંક્રાંતિના દિવસે વિશેષ પુજા કરવામાં આવી હતી. સુર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે. પ્રભાસક્ષેત્રની જો વાત કરવામાં આવે તો અહીં અનેક સુર્ય મંદિરો પણ આવેલાં છે અને સંક્રાતિના દિવસે સોમનાથમાં સુર્યપુજા કરવા માટે શ્રધ્ધાળુઓ આવતાં હોય છે.

આજે મકરસંક્રાતિના અવસરે સોમનાથ મહાદેવને મધ્યાહન મહાપૂજનમાં પંચામૃત, તિર્થોદક માંતલ મિશ્રિત કરી તલનો અભિષેક કરાયો હતો. આ ઉપરાંત શિવલિંગને તલનો શૃંગાર કરાયો હતો.

Tags:    

Similar News