દહેજ ઔદ્યોગિક વસાહત ખાતેનાં અદાણી ફાઉન્ડેશન દ્વારા શાળાનાં બાળકો માટે એક દિવસીય પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રવાસમાં દહેજની આસપાસ આવેલી સરકારી શાળાનાં ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો જોડાયા હતા. બાળકોને આ પ્રવાસ દરમયાન અદાણી પોર્ટ અંગે માર્ગદર્શન પુરૂ પાડવા ઉપરાંત પોર્ટનાં વિવિધ વિસ્તારો જહાજ લાંગરવાની જેટી, માલસામાનની હેરાફેરી માટેનાં સાધનો, માલસામાન સંગ્રહ કરવાની રીતો, સેફટી અને સિક્યુરિટી સહિતની કામગીરીની બાળકોને સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીનાં અધિકારી બી.જી.ગાંધીએ સંબોધન કર્યુ હતુ.