ઉધરસ અને તાવમાં તુરંત રાહત આપતી આ દવા હવે નહીં મળે, સરકારે દવા પર મુક્યો પ્રતિબંધ

સરકારે નિમેસુલાઈડ અને સોલ્યુબલ પેરાસિટામોલ દવા તેમજ ક્લોફેનિરામાઈન મૈલેટ તેમજ કોડીન સીરપ સહિત 14 એફડીસી દવાઓ પર પ્રતિબંધ મુક્યો છે.

Update: 2023-06-04 10:52 GMT

સરકારે નિમેસુલાઈડ અને સોલ્યુબલ પેરાસિટામોલ દવા તેમજ ક્લોફેનિરામાઈન મૈલેટ તેમજ કોડીન સીરપ સહિત 14 એફડીસી દવાઓ પર પ્રતિબંધ મુક્યો છે. સરકારનું કહેવું છે કે આ દવાઓ લોકો માટે જોખમરુપ સાબિત થઈ શકે છે. એફડીસી દવાઓ એટલે એવી દવા જેમાં એક નિશ્ચિત રેશિયોમાં એક કે બેથી વધુ સક્રીય દવાની સામગ્રીનું મિશ્રણ હોય. ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશનવાળી આ દવાઓ પર પ્રતિબંધ મુક્યાની સુચના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે આપવામાં આવી હતી. સરકારે આ નિર્ણય ખાસ સમિતિની ભલામણ પછી લીધો છે. નિષ્ણાંતોની સમિતિએ સરકારને જણાવ્યું હતું કે આ દવાઓનું કોઈ ઔચિત્ય નથી અને તે લોકો માટે જોખમી છે. તેથી જનહિતને ધ્યાનમાં રાખી આ પ્રકારની દવાઓના વિચાણ અને વિતરણ પર પ્રતિબંધ મુકવો જરૂરી છે.

આ દવાઓ પર મુકાયો પ્રતિબંધ

જે દવાઓ પર પ્રતિબંધ મુકાયો છે તેમાં વાયરલ ઈન્ફેકશન, ઉધરસ અને તાવની સારવારની દવાઓનો સમાવેશ થાય છે. જે નીચે દર્શાવ્યા અનુસાર છે.

ક્લોફેનિરામાઈન મૈલેટ + કોડીન સીરપ,

ફોલકોડાઈન + પ્રોમેથાજિન

એમોક્સિસિલિન + બ્રોમહેક્સિન

બ્રોમહેક્સિન + ડેક્સટ્રોમેથોર્ફન + અમોનિયમ ક્લોરાઈડ + મેન્થોલ

પેરાસિટામોલ + બ્રોમહેક્સિન + ફિનાઈલફ્રાઈનન + ક્લોરફેનિરામાઈન + ગુઈફેનિસિન

સાલબુટામોલ + બ્રોમહેક્સિન

મહત્વનું છે કે વર્ષ 2016માં પણ સરકારે 344 દવા સંયોજનના નિર્માણ પર પ્રતિબંધ મુક્યો હતો. આ પ્રતિબંધને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાલમાં જે દવા પ્રતિબંધિત કરવામાં આવી હતી તે આ 344 દવાના સંયોજનનો એક ભાગ છે. 

Tags:    

Similar News