પશ્ચિમ બંગાળ: અમિત શાહની મુલાકાત વચ્ચે BJP કાર્યકરની હત્યા, સ્વાગતના તમામ કાર્યક્રમો રદ્દ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન કોલકાતામાં બીજેપી કાર્યકરનો મૃતદેહ મળ્યો.

Update: 2022-05-06 06:40 GMT

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન કોલકાતામાં બીજેપી કાર્યકરનો મૃતદેહ મળ્યો. મળતી માહિતી મુજબ, ફાંસીથી લટકતો તેનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ કાશીપુર વિધાનસભાના રહેવાસી અર્જુન ચૌરસિયા તરીકે થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ 27 વર્ષીય ભાજપના કાર્યકરની હત્યા પર શોક વ્યક્ત કર્યો છે. પાર્ટી તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોલકાતામાં અમિત શાહના સ્વાગતના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.

Tags:    

Similar News