રવિવારે સાંજે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં હિંસાના એક દિવસ પહેલા જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ આઈશી ઘોષ અને 19 અન્ય લોકો સામે યુનિવર્સિટીના સર્વર રૂમમાં તોડફોડ કરવાના આરોપ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
3 જાન્યુઆરીના મામલામાં પણ એફઆઈઆર નોંધવામાં આવી છે, પરંતુ ઘોષનું નામ ત્યાં નથી. જ્યારે ડાબેરી વિદ્યાર્થીઓના નામ નોંધાયેલા છે. 4 જાન્યુઆરીના રોજ જે મારપીટ અને સર્વર રૂમ તોડવાની FIR છે તેમાં આઈશી ઘોષ અને તેના 7-8 સાથીદારોના નામ છે. આ બંને એફઆઈઆર જેએનયુ વહીવટીતંત્ર દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેએનયુ હિંસામાં કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 34 લોકો ઘાયલ થયા છે. આ હિંસામાં આઈશી ઘોષને માથામાં ઈજા થઈ હતી.