જુનાગઢ: એક પછી એક 7 ઝૂપડામાં વિકરાળ આગ,જુઓ શું છે મામલો

Update: 2021-02-10 07:43 GMT

જૂનાગઢના કેશોદના ડી પી રોડ પર આવેલ ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જો કે આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

જૂનાગઢના કેશોદના ડી પી રોડ પર ઝૂપડપટ્ટી વિસ્તારમાં મોડી રાત્રે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જેમાં 7 જેટલાં ઝૂંપડાં બળીને ખાખ થઇ ગયા હતા.નગર પાલિકાના ફાયર સ્ટેશનમાં આ અંગેની જાણ કરાતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.આગની ઘટનાના પગલે વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. આગ લાગવાનુ ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતાં તમામે રાહતનો શ્વાસ લીધો હતો. આગમાં ઝુપડપટ્ટી ઘરવખરી બળીને ખાક થઈ જતાં શ્રમજીવીઓને મોટું નુકશાન પહોચ્યું હતું ત્યારે લોકોએ સરકાર સહાય કરે એવી માંગ કરી છે.

Tags:    

Similar News