રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનાં ગવર્નર ઉર્જિત પટેલે આખરે રાજીનામું ધરી દીધું છે. અંગત કારણો દર્શાવી ગવર્નર પદેથી રાજીનામું ધરી દીધું છે. કેન્દ્ર સરકારનાં નોટબંધીનાં નિર્ણય બાદ ગવર્નર ઉર્જિત પટેલ ઘણી વખત ચર્ચામાં રહ્યા હતા. તો ક્યારેક તેમણે નોટબંધીને લઈને નિવેદનો પણ આપ્યા હતા. અનેટ અટકળો વચ્ચે આજે આખરે તેમણે હોદ્દા ઉપરથી રાજીનામું આપી દિધું છે.