સાબરકાંઠા: સેનામાં ફરજ બજાવતા જવાનનું નિધન,અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

Update: 2021-03-13 07:31 GMT

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના થેરાસણા ગામના આર્મી જવાનનું નિધન થતા અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને જવાનને અંતિમ વિદાય આપી હતી


સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના થેરાસણા ગામના જયેશ પટેલ કે  જેઓ છેલ્લા કેટલાય વર્ષોથી આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે આર્મી જવાનનું ઓન ડ્યુટી દરમિયાન માંદગીના કારણે નિધન થયું હતું જેના પગલે પરિવારજનો તેમજ ગ્રામજનોમાં  શોકની લાગણી છવાઈ ગઈ હતી અને તેમના વતનમાં અંતિમક્રિયા કરવામાં આવી હતી. જવાનની અંતિમ યાત્રામાં સેનાના  જવાનો,પોલીસકર્મીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને શહીદ જવાનને સલામી સાથે અંતિમ વિદાય આપી હતી.

Tags:    

Similar News