ડેવિડ વોર્નરનો ચોંકાવનારો ખુલાસો, સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપમાંથી હટાવવા પર આપ્યું નિવેદન

Update: 2021-10-13 04:56 GMT

સનરાઇઝર્સ હૈદરાબાદના ભૂતપૂર્વ કેપ્ટન ડેવિડ વોર્નરે મંગળવારે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે માલિકો કે ટીમ મેનેજમેન્ટે તેને કહ્યું ન હતું કે તેને કેપ્ટન તરીકે કેમ પડતો મૂકવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના ઓપનર કેન વિલિયમસનને એપ્રિલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 ના પ્રથમ ભાગમાં વોર્નરની જગ્યાએ કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી જ્યારે ટીમ તેમની છમાંથી પાંચ મેચ હારીને છેલ્લા ક્રમે હતી.

વોર્નરે સ્પોર્ટ્સ ટુડેને કહ્યું, "મને માલિકો અને અમારા કોચિંગ સ્ટાફ, ટ્રેવર બેલિસ, લક્ષ્મણ, મૂડી અને મુરલી માટે ઘણું સન્માન છે, પરંતુ જ્યારે કોઈ નિર્ણય લેવામાં આવે ત્યારે તે સર્વસંમતિથી હોય છે. તમને ખબર નથી કે કોણ તમને ટેકો આપશે અને કોણ તમારું સમર્થન નહીં કરે."

તેણે કહ્યું, "મારા માટે નિરાશાજનક બાબત એ છે કે મને કેપ્ટન તરીકે હટાવવાનું કારણ આપવામાં આવ્યું ન હતું. જો તમે ફોર્મની લાઇન પર જવા માંગતા હોવ તો તે મુશ્કેલ છે, કારણ કે મને લાગે છે કે તમે પહેલા પ્રદર્શન કર્યું હતું તેના કેટલાક પરિણામ બાદમાં પણ મળવા જોઈએ."

ઓસ્ટ્રેલિયન ખેલાડીએ આગળ કહ્યું કે તે ફરીથી SRH નું પ્રતિનિધિત્વ કરવાનું પસંદ કરશે પરંતુ તે તેના હાથમાં નથી. તેમણે કહ્યું, "હું સનરાઇઝર્સનું પ્રતિનિધિત્વ કરવા સિવાય બીજુ કંઈ પસંદ ન કરીશ, પરંતુ દેખીતી રીતે નિર્ણય માલિકોનો છે." સનરાઈઝર્સ આઈપીએલ 2021 પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહ્યું છે.

વોર્નરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી હતી, જે ખૂબ જ લાગણીશીલ હતી. તેણે લખ્યું, "તમારી સાથે જોડાયેલી તમામ યાદો માટે આભાર. હું મારી જાતને અને ટીમના તમામ ચાહકોને કહેવા માંગુ છું કે તમે અમારી સૌથી મોટી તાકાત છો અને તમે હંમેશા અમને મેદાન પર 100 ટકા આપવા માટે પ્રેરિત કર્યા છે. અદ્ભુત સફર. હું અને મારો પરિવાર તમને ખૂબ જ યાદ કરીશું. હૈદરાબાદની ટીમને આ છેલ્લા પ્રયાસ માટે શુભેચ્છાઓ."

Tags:    

Similar News