IND vs SL T20 : રાજકોટમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે સીરીઝની ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાશે

Update: 2023-01-07 04:32 GMT

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સીરીઝની ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાશે, આજની મેચ ગુજરાતના રાજકોટના સ્ટેડિયમમાં રમાશે, આ મેચમાં બન્ને ટીમો જીત માટે પ્રયાસ કરશે, બન્ને ટીમો આજે સીરીઝ પર કબજો જમાવવા માટે મેદાનમાં ઉતરશે.

ઉલ્લેખનીય છે કે, ત્રણ મેચોની સીરીઝમાં પ્રથમ ટી20માં ભારતીય ટીમે જીત હાંસલ કરી હતી, જોકે, બીજી ટી20માં શ્રીલંકન ટીમે વાપસી કરતાં શાનદાર જીત મેળવી હતી, આ સાથે જ બન્ને ટીમો સીરીઝમાં 1-1ની બરાબરી પર આવી ગઇ છે. આજે 7 મી જાન્યુઆરી 2023ના દિવસે રાજકોટના સૌરાષ્ટ્ર એસોશિએન ક્રિકેટ સ્ટેડિયમમાં ફરી એકવાર બન્ને ટીમો આમને સામને ટકરાશે.

Tags:    

Similar News