IND vs ZIM : ઝિમ્બાબ્વેએ ભારત સામેની ODI શ્રેણી માટે ટીમની કરી જાહેરાત

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 18 ઓગસ્ટથી શરૂ થનારી વનડે સીરીઝમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભારત બાદ હવે ઝિમ્બાબ્વેએ પણ પોતાની ટીમની જાહેરાત કરી છે.

Update: 2022-08-12 10:51 GMT

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 18 ઓગસ્ટથી શરૂ થનારી વનડે સીરીઝમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભારત બાદ હવે ઝિમ્બાબ્વેએ પણ પોતાની ટીમની જાહેરાત કરી છે. આ શ્રેણી માટે ઝિમ્બાબ્વેએ પણ પોતાનો કેપ્ટન બદલવો પડ્યો છે અને હવે રેગિસ ચકાબ્વાને કમાન સોંપવામાં આવી છે.

ઝિમ્બાબ્વેએ ત્રણ મેચની વનડે શ્રેણી માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ત્રણેય મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. આ ત્રણેય મેચ 18, 20 અને 22 ઓગસ્ટે રમાશે. ઝિમ્બાબ્વે ક્રિકેટ રિલીઝ અનુસાર 'ચાકાબ્વા નિયમિત કેપ્ટન ક્રેગ ઇરવિનની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરશે. ઈર્વિન ઈજાના કારણે આ શ્રેણીમાં રમી શકશે નહીં. ઝિમ્બાબ્વેને પણ બ્લેસિંગ મુજરબાની, ટેન્ડાઈ ચતરા અને વેલિંગ્ટન મસાકાદઝા વિના રમવું પડશે. આ ત્રણેય ખેલાડીઓ ઈજામાંથી પણ સાજા થઈ રહ્યા છે. તમામ મેચો ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યે શરૂ થશે.

Tags:    

Similar News