IPL: હાર્દિક પંડ્યાના ગુજરાત ટાઈટન્સ છોડવા અંગે મુખ્ય કોચ આશિષ નહેરાનું નિવેદન, વાંચો શું કહ્યું

ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં IPL 2022ની સિઝન જીતી હતી. આ પછી, IPL 2023 સિઝનની ફાઇનલમાં પહોંચી હતી

Update: 2024-03-17 11:44 GMT

ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં IPL 2022ની સિઝન જીતી હતી. આ પછી, IPL 2023 સિઝનની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ હવે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સનો ભાગ નથી તાજેતરમાં જ આઇપીએલની હરાજી પછી, મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સ તરફથી હાર્દિક પંડ્યાને ટ્રેડ કર્યો હતો.આ સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને પોતાનો કેપ્ટન બનાવ્યો છે. પરંતુ ગુજરાત ટાઇટન્સમાંથી હાર્દિક પંડ્યાની વિદાયની કેટલી અસર થશે? આ સવાલનો જવાબ ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ આશિષ નેહરાએ આપ્યો છે.આશિષ નેહરાએ કહ્યું કે જ્યારે હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરવાનું નક્કી કર્યું ત્યારે મેં તેને ક્યારેય રોકવાનો પ્રયાસ કર્યો નથી. જે રીતે રમત બદલાઈ રહી છે, આપણે આવનારા દિવસોમાં આવા ઘણા ટ્રાન્સફર જોઈશું, તે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ક્લબ માર્કેટ જેવું જ છે.પરંતુ શું હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સમાંથી વિદાયની અસર પડશે? આ પ્રશ્નના જવાબમાં આશિષ નેહરાએ કહ્યું કે ગુજરાત ટાઇટન્સ હાર્દિક પંડ્યાને મિસ કરશે તેમાં કોઈ શંકા નથી. પરંતુ આ અમારા માટે નવા મોકા સમાન છે.

Tags:    

Similar News