મોહમ્મદ શમીને મળી શકે છે મોટુ ઈનામ, BCCIએ રમત મંત્રાલયને અર્જુન એવોર્ડની યાદીમાં નામ સામેલ કરવા કરી વિનંતી

Update: 2023-12-14 03:22 GMT

મોહમ્મદ શમી ODI વર્લ્ડ કપ 2023માં ભારત માટે હીરો સાબિત થયો હતો. શમી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. હવે, વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શન બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રમતના ક્ષેત્રમાં આપવામાં આવતા અર્જુન એવોર્ડ માટે મોહમ્મદ શમીનું નામ આગળ કર્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રમત મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે BCCIએ રમત મંત્રાલયને અર્જુન એવોર્ડની યાદીમાં શમીનું નામ સામેલ કરવા વિનંતી કરી છે. કારણ કે શમી પહેલાથી તે યાદીમાં સામેલ ન હતો. અર્જુન એવોર્ડ એ રમતગમતના ક્ષેત્રમાં આપવામાં આવતો ભારતનો બીજો સૌથી મોટો પુરસ્કાર છે.

મંત્રાલયે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર અને અર્જુન એવોર્ડ સહિત આ વર્ષના રમત પુરસ્કારો અંગે નિર્ણય લેવા માટે 12 સભ્યોની સમિતિની રચના કરી છે, જેનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ એએમ ખાનવિલકર કરશે. તેમના સિવાય, સમિતિમાં કુલ 6 વધુ સભ્યો હશે, જેઓ ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય રમતવીરો છે.

Tags:    

Similar News