મુંબઈના વાનખેડે ખાતે રમાયેલી પ્રથમ T20માં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 2 રને હરાવ્યું

Update: 2023-01-04 04:08 GMT

શિવમ માવીની ઘાતક બોલિંગ અને દીપક હુડા અને અક્ષર પટેલની વિસ્ફોટક બેટિંગના કારણે ટીમ ઈન્ડિયાએ મુંબઈના વાનખેડે ખાતે રમાયેલી પ્રથમ T20માં શ્રીલંકાને 2 રને હરાવ્યું હતું. આ સાથે જ ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

આ મેચમાં પ્રથમ ઈનિંગ રમીને ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરમાં 160 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી શિવમ માવીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. અને સ્પીડ સ્ટાર ઉમરાન મલિકે બે વિકેટ ઝડપી હતી.

ભારત તરફથી મળેલા 163 રનના ટાર્ગેટના જવાબમાં શ્રીલંકાની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ઓપનર પથુમ નિસાંકા 01, ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા ધનંજય ડી સિલ્વા 08 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી ચરિથ અસલંકા પણ માત્ર 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી સેટ ઓપનર કુસલ મેન્ડિસ પણ 25 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા.

Tags:    

Similar News