સુરત: ડીંડોલી ખરવાસા રોડ પર કાર પલટી, એકનું મોત-બે વ્યક્તિને ગંભીર ઇજા

Update: 2021-02-27 16:24 GMT

સુરત ડીંડોલી ખરવાસ રોડ પર કાર પલટી મારી જતા ઘટના સ્થળે એક ઈસમનું મોત નીપજ્યું છે. અને બે લોકોને ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડયા છે. ત્રણે મિત્રો નવસારીમાં બેસણુંમાં ગયા હતા. બેસણું થી પરત ફરતા અકસ્માત સર્જાયો હતો.

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ કતારગામ રણછોડ સોસાયટી રહેતો મૂળ મહારાષ્ટ્રના શિંદખેડાનો વતની  36 વર્ષીય ભોજુસીંગ આનંદસિંગ રાજપૂત ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. આજ રોજ ભોજુ તેવોના મિત્રો પંકજ ચૌધરી અને સતીષ ચૌધરીના સગા બેસણુંમાં નવસારી ગયો હતો. નવસારી સુરત પરત ફરી રહિયા હતા. કારમાં ભોજુ અને તેના મિત્રો સતીષ અને પંકજ પણ હતા. ડીંડોલી ખરવાસ રોડ પર કાર ચાલક ભોજુ રાજપૂતએ સ્ટેરેઇંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી હતી. બનાવને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં કાર ચાલક ભોજુસિંગનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે પંકજ ચૌધરી અને સતીષ ચૌધરીને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ભોજુસિંગ રાજપૂત અપરણિત હતા. માતા પિતા સાથે કતારગામ ખાતે આવેલ રણછોડ પાર્ક સોસાયટીમાં રહેતા હતા. ભોજુસિંગ ડ્રાઇવર તરીકે નોકરી કરી પરિવારને મદદરૂપ થતા હતા. ભોજુસિંગનું કાર અકસ્માતમાં મોત નિપજતા પરિવારમાં શોક ફેલાઈ ગયો છે.

Tags:    

Similar News