સુરત : કોરોનાના કહેર વચ્ચે સર્જાઈ રક્તની અછત, પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક-કર્મચારીઓએ કર્યું રક્તદાન

Update: 2020-10-16 16:59 GMT

સુરત શહેરમાં કોરોનાના કહેર વચ્ચે રક્તની અછત જોવા મળી રહી છે, ત્યારે સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિના શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.

સુરત કોરોના કહેરને લઈ સુરત બ્લડ બેન્કમાં રક્તની ભારે અછત જોમાં મળી રહી છે, ત્યારે કોરોનાના કહેર વચ્ચે રક્તની માંગ વધી રહી છે. જેથી રક્તની અછત સામે સુરતમાં મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો સહિત કર્મચારીઓ દ્વારા રક્તદાનનું કરવામાં આવ્યું હતું. રક્તદાન દરમ્યાન શિક્ષણ સમિતિના અધ્યક્ષ હસમુખ પટેલ સહિત સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News