સુરત : મુસાફરોથી ખીચોખીચ ભરેલી સીટી બસમાં લાગી આગ, સમય સૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ

ગોડાદરા વિસ્તારમાં પેસેન્જર ભરેલ સીટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી.

Update: 2022-12-05 12:11 GMT

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં પેસેન્જર ભરેલ સીટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી.

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલ માનસરોવર શનિ મંદિર પાસેથી ચોક બજાર તરફ પેસેન્જર ભરેલ સીટી બસ પસાર થઈ રહી હતી. આ દરમિયાન અચાનક શોર્ટ સર્કિટથી બસમાં આગ ફાટી નીકળતા બસમાં સવાર પેસેન્જરમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. જોકે, સમયસર બસમાં સવાર પેસેન્જર ઉતરી જતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ચપેટમાં સીટી બસ બળીને ખાસ થઈ ગઈ હતી.

Tags:    

Similar News