સુરત : હત્યા કેસમાં જામીન મુકત થયેલાં યુવાનને જાહેરમાં રહેંસી નંખાયો

સુરતમાં દિવસે અને દિવસે ગુનાખોરીનો ગ્રાફ ઉંચે જઇ રહયો છે. યુવાનને ફીલ્મી ઢબે જાહેરમાં રહેંસી નંખાયો છે....

Update: 2021-08-06 10:46 GMT

સુરતમાં દિવસે અને દિવસે ગુનાખોરીનો ગ્રાફ ઉંચે જઇ રહયો છે. શહેરના ઉધના વિસ્તારમાં હત્યા કેસમાં જામીન મેળવી ઘરે આવેલાં યુવાનને ફીલ્મી ઢબે જાહેરમાં રહેંસી નંખાયો છે....

સુરતમાં ગુનેગારો બેફામ બની ગયાં હોવાથી લોકોમાં ભય ફેલાયો છે.ઉધના ફ્લાયઓવર બ્રિજના સામે છેડે ખરવરનગરના નાકે ગુરુવારે રાત્રે બન્ટી પ્રહલાદ બળસા નામના યુવકની અન્ય પાંચ યુવાનોએ ચપ્પુના પાંચથી સાત ઘા મારીને હત્યા કરી દીધી હતી. કનુ ટાઇગર, રાહુલ, લાલો, ઉમેશ માંજરો અને અન્ય એક મળીને પાંચ યુવાનોએ બંટી પર હુમલો કર્યો હતો. ખરવરનગર વિસ્તારમાંથી તેને ઢોર માર મારતા મારતા ફલાયઓવર બ્રિજના નાકે લાવ્યા બાદ ચપ્પુના ઘા મારીને તેની હત્યા કરી નાંખી હતી.મુખ્ય આરોપી એવો કનુ ટાઇગર પણ ઝપાઝપીમાં ઇજાગ્રસ્ત થયો હોવાથી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કનુ ટાઇગરના ભાઇનું મર્ડર બન્ટીએ કર્યાની વાતે તેના પર હુમલો કરી હત્યા કરાઇ હોવાની શક્યતાઓ છે. કનુ ટાઇગર હોસ્પિટલમાં સારવાર લઇ રહયો છે જયારે ફરાર થઇ ગયેલાં ચાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.

Tags:    

Similar News