રાજ્યમાં આજે 710 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 451 લોકોએ કોરોનાને આપી મ્હાત

Update: 2021-03-11 16:59 GMT

રાજ્યમાં કોરોના સંક્રમણ ફરી બેકાબૂ બન્યો છે. દિવસેને દિવસે સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે 710 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 451 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એકપણ મૃત્યુ થયું નથી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4418 લોકોના કોરોનાથી મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,67,701 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.03 ટકા પર પહોંચ્યો છે. હાલ 3788 એક્ટિવ કેસ છે, જેમાંથી 49 લોકો વેન્ટિલેટર પર અને 3798 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 710 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 171, અમદાવાદ કોર્પોરેશનમાં 149, વડોદરા કોર્પોરેશનમાં 84, રાજકોટ કોર્પોરેશન 61, સુરત 30, આણંદ-18, રાજકોટ-16, ખેડા-14, સાબરકાંઠા-14,  કચ્છ-13, ભરુચ-12, વડોદરા-11, ભાવનગર કોર્પોરેશન-10, નવસારી-9,  ગાંધીનગર-8, ગાંધીનગર કોર્પોરેશન-8, જામનગર કોર્પોરેશન-8, પંચમહાલ-8 અને મહેસાણામાં 6 કેસ નોંધાયા છે.

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 17,24,805 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 4,25,371  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં કુલ 10,135 લોકોને રસી આપવામાં આવી છે.

Tags:    

Similar News