અંકલેશ્વર : કોરોનાની દવા ઉત્પાદન કરવા ફાર્મા ઉદ્યોગોને 24 કલાકમાં EC અપાયું

Update: 2020-04-11 12:45 GMT

ભારત સહિત

સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારીના રોકવાના પ્રયાસોમાં લાગ્યું છે ત્યારે

ગુજરાત સરકારે એક મહત્વપુર્ણ કદમ ઉઠાવ્યું છે. કોરોના વાયરસની સારવારમાં વપરાતી

હાઇડ્રો કલોરોકવીન અને એન્થ્રોમાઇસીન દવાના ઉત્પાદન માટે અંકલેશ્વરની ફાર્મા

કંપનીઓને માત્ર 24 કલાકમાં જ

એન્વાયરમેન્ટ કલીયરન્સ (EC) આપી દીધું

છે.

ગુજરાતમાં

છેલ્લા એક સપ્તાહમાં કોરોના વાયરસના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે.

અમેરિકા, ઇઝરાયેલ, બ્રાઝીલ સહિતના દેશો ભારત પાસે હાઇડ્રો

કલોરોકવીન અને એન્થ્રોમાઇસીન દવાની માંગણી કરી રહયાં છે. આવા સંજોગોમાં ગુજરાત

સરકારે એક મહત્વપુર્ણ અને ઐતિહાસિક પગલું ભર્યું છે અંકલેશ્વરના ફાર્મા ઉદ્યોગો કે

જે બંને દવાઓનું ઉત્પાદન કરી શકવાની ક્ષમતા ધરાવે છે તેમને માત્ર 24 કલાકમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ

(જીપીસીબી)એ એન્વાયરમેન્ટ કલીયરન્સ સર્ટીફિકેટ ( EC) આપી દીધું છે. જીપીસીબીના સભ્ય સચિવ

એ.વી.શાહ તથા અન્ય અધિકારીઓએ પણ કોરોના વાયરસની ગંભીરતા સમજી વહેલી તકે દવાઓનું

ઉત્પાદન શરૂ થાય તેને પ્રાધાન્ય આપી સરકારના પ્રયાસોને બળવત્તર બનાવ્યાં છે.

સરકારના નિર્ણય બાદ આગામી દિવસોમાં અંકલેશ્વરની કંપનીઓ કોરોના વાયરસને નાથવા માટેની

દવાઓનું મહત્તમ ઉત્પાદન કરી શકશે તથા ભારત સહિત અન્ય દેશોને પણ મદદરૂપ બનશે.

અંકલેશ્વરના ઉદ્યોગકારોએ સરકાર તથા જીપીસીબીના હકારાત્મક અને દેશહિતના નિર્ણયને

આવકાર્યો છે અને દેશના અર્થતંત્રને મજબુત બનાવવાની દિશામાં પોતાની કટીબધ્ધતા

દર્શાવી છે.

Tags:    

Similar News