અંકલેશ્વર : પ્રતિન ચોકડી વિસ્તારમાં કરાઇ ભૂખ્યાને ભોજનની કલેકટરના હાથે કરાઇ શરૂઆત
અન્નદાન એજ મહાદાનના સુત્રને સાર્થક કરતા ભરૂચ જિલ્લા કલેકટર રવિ અરોરાએ માનવતાની મહેક દર્શાવી હતી અને અંકલેશ્વર પ્રતિન ચોકડી વિસ્તાર પાસે ચાલતું ભૂખ્યાને ભોજનની શરૂઆત કરવા સાથે એક દિવસો તેનો ખર્ચ પણ પોતાના ખિસ્સામાંથી આપ્યો હતો.
અંકલેશ્વર પ્રતિન ચોકડી વિસ્તાર નજીક ભૂખ્યાને રોજ ભોજન મળે તે હેતુથી આયોજકો દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં રોજ અવર-નવર દાતાઓ સહયોગ આપતા હોય છે ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર પણ પ્રતિન ચોકડી વિસ્તારમાં આવી જાતે પોતાના હાથે ભોજન પીરસીને ગરીબોને ભોજન કરાવ્યું હતું અને એક દિવસનો સંપૂર્ણ ખર્ચો કલેકટરે પોતાના ખીસ્સા માંથી આપ્યો હતો. કલેકટરે આ ઉમદા દાન થકી આયોજકોને પ્રોત્સાહન પાઠવ્યું હતું.પોલીસ કર્મીઓ પણ આ કામને સહયોગ આપી સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું