અમદાવાદ : નારોલની ગુમ બાળકી ઇજાગ્રસ્ત હાલતમાં મળી, દુષ્કર્મની આશંકા

Update: 2019-12-14 17:31 GMT

રાજ્યમાં દિવસેને દિવસે કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યાં અમદાવાદમાં રામોલ બાદ હવે નારોલમાં પણ 12 વર્ષની સગીરા તેના ઘરેથી ગુમ થયા બાદ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા સેવાઇ રહી છે.

અમદાવાદના નારોલ વિસ્તારમાંથી 11મી તારીખથી ગુમ થયેલી સગીરા ઇજાગ્રસ્ત હાલતમાંતેની ઘરથી દુર આવેલી એક સોસાયટીમાંથી મળી આવી હતી. સ્થાનિક રહીશોએ પોલીસને જાણ કરતાં પોલીસે તેનો કબજો મેળવી પરિવારને સોંપી હતી. બીજી તરફ સગીરાએ તેની સાથે દુષ્કર્મ થયું હોવાની ફરીયાદ કરતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સગીરા તરફથી લગાવેલા ગેંગરેપના આરોપો કેટલા સાચા છે તે ડોક્ટરના રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડી શકે છે. બીજી તરફ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સગીરા ઘરેથી ગુમ થયા બાદ ના સીસીટીવી ફૂટેજ કે કોઇપણ આધાર પુરાવો હજુ મળ્યો નથી. પોલીસ મેડીકલ રીપોર્ટની રાહ જોઇ રહી છે.

Tags:    

Similar News