કચ્છ : વરસામેડી ગામની સીમમાં પ્રેમી પંખીડાએ ઝાડ પર લટકી કરી આત્મહત્યા

Update: 2019-05-14 14:25 GMT

કચ્છના અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં પ્રેમી પંખીડાએ ઝાડ પર લટકી જઈ સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર ફેલાઈ છે.અંજારમાં પ્રેમમાં પાગલ બનેલા નવ યુવાનીયાઓએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે,ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામની 14 વર્ષીય સગીરા રાધિ બેન બાબુભાઇ આહીર અને 20 વર્ષીય ભાવેશ દેવજીભાઈ સોલંકી નામના યુવક યુવતીએ વરસામેડી ગામની સીમમાં ઝાડ પર લટકીને સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.મરણ જનાર છોકરી આજે વહેલી સવારથી જ ઘરેથી ભાગી ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે.બનાવને પગલે અંજાર પંથકમાં અરેરાટી છવાઈ છે.

હાલ પોલીસે સમગ્ર બનાવ મામલે ઝીણવટભરી તપાસ સાથે આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.સ્થાનિકે ચર્ચાતી વાતો મુજબ , બંને એકબીજાને પ્રેમ કરતા હોઇ પરંતુ સમાજ સ્વીકાર નહિ કરે તેવા ડરથી આત્મઘાતી પગલું ભર્યું હોવાની વાત વહેતી થવા પામી છે

Tags:    

Similar News