ભરૂચના આમોદ-સરભાણ માર્ગ પર આવેલ રોધ ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 યુવાનોના કરૂણ મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી.
અકસ્માતમાં મોતને ભેટનારાઓમાં મુખતાર અબ્બાસઅલી સઁયદ, મહંમદ સાદીક શેખ, નીતીન શુરેશ સરીતા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય ૩ ઇજાગ્રસ્તોના નામઠામ જાણવા મળ્યા નથી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો ખુરદો બોલી જવા પામ્યો હતો. અકસ્માત સંદર્ભે આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.