ભરૂચ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ અંતર્ગત વ્યસન મુક્તિ અભિયાન હાથ ધરીને લોકોને વ્યસન થી થતા શારીરિક નુકશાન અંગે માહિતી આપવામાં આવી હતી.
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગૃપ પોલીસ ના અધિકારીઓ,પોલીસ કર્મીઓ તેમજ ટ્રાફિક પોલીસના જવાનો એ વ્યસન મુક્તિ અભિયાન ના કાર્યક્રમ દરમિયાન શહેરના કસક સર્કલ પાસે થી પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો ને વ્યસન થી થતા શારીરિક નુકશાન સંદર્ભે જાગૃતિ માટે ના પૈમ્ફ્લેટ આપી ને લોકોને વ્યસન રૂપી રાક્ષસ ને ત્યજી દેવા માટે અપીલ કરી હતી.
પોલીસના આ જન જાગૃતિ ના પ્રયાસને ભરૂચ વાસીઓ એ બિરદાવ્યા હતો.