ભરૂચ નદી કિનારે રઝળતી ગણેશજી અને દશામાની પ્રતિમાનું પુનઃ વિસર્જન કરતા સ્થાનિક યુવાનો
ભરૂચ દાંડિયા બજાર તરફ નદી કિનારે કસક વિસ્તારનાં યુવાનોએ કિચડ માંથી દશામા અને ગણપતિની પીઓપીની વિસર્જિત ન થયેલ પ્રતિઓનું સન્માન પૂર્વક પુનઃ વિસર્જન કર્યુ હતુ.
જે મૂર્તિઓ કસક વિસ્તારનાં યુવાનોનાં ધ્યાને આવતા તેઓએ કિચડ માંથી મૂર્તિઓ કાઢીને તેનું ફરી થી વિસર્જન સ્વ ખર્ચે કર્યુ હતુ. આ ભગીરથ કાર્યમાં વિજેસ નટવર સોલંકી, પારસ મકવાણા, સંદીપ મિસ્ત્રી. પ્રયાગ મિસ્ત્રી તેમજ સ્થાનિક રહેવાશીઓ અને મા નર્મદા યુવક મંડળનાં સભ્યો જોડાયા હતા.