અંકલેશ્વર વાલિયા રોડને અડીને આવેલ કોંઢ ગામ નજીક લોખંડની પ્લેટો ભરેલી ટ્રક ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો,જેમાં ત્રણ ચાલક સહિત બેનાં કરુણ મોત નિપજ્યા હતા.
ટ્રકમાં સવાર ટ્રક ચાલક સહિત બેનાં ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.ઘટના અંગેની જાણ સ્થાનિક લોકો અને વાલિયા પોલીસને થતા તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.વધુમાં ટ્રકમાં ફસાયેલા ટ્રક ચાલક અને ક્લીનરના મૃતદેહને બહાર કાઢવા માટે અંકલેશ્વર ડીપીએમસીની રેસ્ક્યુ ટીમની મદદ લેવામાં આવી હતી.અને લાશ્કરોએ રેસ્ક્યુ ઓપરેશન હાથધરીને ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યા હતા.