અંકલેશ્વર : રાજપીપળા ચોકડી પાસે ટ્રકે મારી બાઇકને ટકકર, જુઓ પછી શું થયું
BY Connect Gujarat26 July 2020 9:58 AM GMT
X
Connect Gujarat26 July 2020 9:58 AM GMT
અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે પર રાજપીપળા ચોકડી નજીકથી બાઇક લઇને પસાર થઇ રહેલાં યુવાનનું અજાણ્યા વાહનની ટકકરે મોત નીપજયું છે. મૃતક યુવાન કંપનીમાંથી નોકરી પતાવી ઘરે પરત જઇ રહયો હતો ત્યારે માર્ગમાં કાળનો કોળિયો બની ગયો હતો.
અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પર અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પર સાંજ અરસામાં હોટલ પ્રાઈમની સામે એક બાઈકસવારને અજાણ્યા વાહનએ ટકકર મારી હતી. વાહનની ટકકરે બાઇક સવારને ગંભીર ઇજા થતાં તેનું સ્થળ પર જ મોત નીપજયું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો હતો. મૃતક યુવાનની ઓળખ અંદાડાની સૌરભનગર સોસાયટીમાં રહેતાં અશોક પાડવી તરીકે થઇ છે. અંકલેશ્વર શહેર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Next Story