Connect Gujarat
Featured

અંકલેશ્વર : સ્પેશિયલ સિવાયની તમામ ટ્રેનોને લાગી બ્રેક, જુઓ વેપારીઓ તથા નોકરીયાતોના કેવા છે હાલ ?

અંકલેશ્વર : સ્પેશિયલ સિવાયની તમામ ટ્રેનોને લાગી બ્રેક, જુઓ વેપારીઓ તથા નોકરીયાતોના કેવા છે હાલ ?
X

રેલવેને ભારતની જીવાદોરી ગણવામાં આવે છે અને રોજના કરોડો મુસાફરો રેલવે ટ્રેનોમાં એક સ્થળેથી બીજા સ્થળે જતાં હોય છે. કોરોના વાયરસના કારણે લાગુ કરાયેલાં લોકડાઉન બાદ ટ્રેન વ્યવહાર બંધ કરી દેવાયો હતો. હાલ રેલવે વિભાગ માત્ર વિશેષ ટ્રેનો દોડાવી રહયું હોવાથી નોકરીયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. બીજી તરફ રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની સંખ્યા ઘટી જતાં સ્ટેશનની બહાર દુકાન ધરાવતાં વેપારીઓને આર્થિક નુકશાન થઇ રહયું છે. જુઓ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતેથી અમારો વિશેષ અહેવાલ.

કોરોનાની મહામારીના કારણે રેલ્વે વિભાગ દ્વારા સ્પેશ્યલ ટ્રેન સિવાયનો તમામ રેલ વ્યવહાર બંધ કરી દેવાતા રેલ્વે સ્ટેશનોની બહાર વેપાર રોજગાર કરતાં વેપારીઓની હાલત કફોડી બની છે.ટ્રેનમાં રોજીંદી મુસાફરી કરતાં મુસાફરોની અવર જવર ઓછી થતાં વેપારીઓના વેપાર પર અસર પહોચી છે અને તેઓ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત રીકશાચાલકોને પણ લોકડાઉનનો માર પડયો છે.

કોરનાની વૈશ્વિક મહામારીને પગલે વર્ષ 2020માં દેશભરમાં લોકડાઉન બાદ અનલોકમાં કેન્દ્ર સરકાર દ્વારા અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી. જેને પગલે સ્પેશિયલ ટ્રેનો સિવાની લોકલ ટ્રેનો બંધ થવા પામી હતી. અંકલેશ્વર અને આસપાસની સ્થાનીક કંપની માં કામ કરતાં અનેક કામદારો બહારગામથી આવતા હોય છે, અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર આવતી લોકલ ટ્રેનો બંધ થતાં તેની સીધી અસર અંકલેશ્વર આવતા કંપનીના કર્મચારીઓ પર પડી છે. ટ્રેનો બંધ થતાં તેઓને મુસાફરી કરી આવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. રેલવે ટ્રેનોની સંખ્યા ઘટી જતાં રીકશાચાલકો પણ કફોડી હાલતમાં મુકાયાં છે.

હાલ હવે કોરોનાની વેક્સિન પણ આવી ગઈ છે ત્યારે ટ્રેન વ્યવહાર પણ રાબેતા મુજબ શરૂ થાય તો મુસાફરો સાથે રેલ્વે સ્ટેશનની બહાર વેપાર રોજગાર કરતાં વેપારીઓ તથા રીકશાચાલકોની આર્થિક ગાડી પણ પાટા પર આવે એવું લાગી રહ્યું છે.

Next Story