Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી, મિત્રો સાથે કર્યું વૃક્ષારોપણ

અંકલેશ્વરઃ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી, મિત્રો સાથે કર્યું વૃક્ષારોપણ
X

અંકલેશ્વરનાં પત્રકાર જગત સાથે સંકળાયેલા મિત્રો આગામી દિવસોમાં પણ આવી રીતે જ જન્મદિવસ ઉજવશે

પર્યાવરણના હીતમાં અંકલેશ્વરના પત્રકારોએ પોતાના જન્મદીને વૃક્ષ વાવવાનું નક્કી કરી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. આ સંકલ્પનાં ભાગરૂપે આજે અંકલેશ્વરનાં પત્રકાર કૌશલભાઈ ગોસ્વામીનો જન્મદિન ઉજવાયો હતો. જે નિમિત્તે અંકલેશ્વર જવાહર ગાર્ડન સામે આવેલા સિનિયર સીટીઝન પાર્કમાં વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

આજરોજ બપોરે 1 થી 1.30 કલાકે અંકલેશ્વરનાં પત્રકા મિત્રોએ ભેગા મળી જન્મ દિવસનાં ઉત્સવને વૃક્ષારોપણ થકી સેલિબ્રેટ કર્યો હતો. પર્યાવરણ પ્રેમી પત્રકારોએ ઉપસ્થિત રહી અલગ અલગ પ્રકારનાં રોપા રોપા રોપી સૌને નવો સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમમાં અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન તથા અન્ય પત્રકાર જગત સાથે જોડાયેલા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે એવું નક્કી કરવામાં આવ્યું છે કે અંકલેશ્વરના કોઈ પણ પત્રકારનો જન્મદિન હોય તો તેની પણ આરીતે જ ઉજવણી કરવામાં આવશે. જેના થકી અંકલેશ્વરના તમામ પત્રકારો એક મંચ પર હાજરી આપી શકશે.

Next Story