Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર અને હાંસોટ રોડ ઉપર શેલારવાડ પાસે મુખ્ય માર્ગ પર પડ્યો ભુવો, અકમાતની ભીતિ

અંકલેશ્વર અને હાંસોટ રોડ ઉપર શેલારવાડ પાસે મુખ્ય માર્ગ પર પડ્યો ભુવો, અકમાતની ભીતિ
X

અંકલેશ્વર અને હાંસોટ રોડ ઉપર શેલારવાડ પાસે મુખ્ય માર્ગ પર ભુવો પડતા વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે.

શુક્રવારના રોજ બપોરે અંકલેશ્વર સ્ટેશન રોડ પર આવેલ સેલારવાડના મુખ્ય માર્ગ ઉપર અચાનક રોડની વચ્ચે ૧ ફૂટ પહોળો ભુવો પડ્યો હતો. જે ભૂવાના અંદરથી વધુ માટી ધસી પડતા ૩ થી ૪ ફૂટ ઊંડાઇ થઇ ગયો હતો. ભુવોને પગલે વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે. જૂની ડ્રેનેજ લાઇન બેસી જવાને કારણે ભુવો પડયો હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે. અંકલેશ્વર નગર પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી ત્યારે અચાનક ભૂવો પડતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

Next Story