અંકલેશ્વર : કોસમડી ગામ ખાતેથી મળી આવ્યો બાજનો મૃતદેહ
BY Connect Gujarat7 Feb 2021 9:51 AM GMT
X
Connect Gujarat7 Feb 2021 9:51 AM GMT
અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની સીમમાંથી આજરોજ બાજ પક્ષીનો મૃતદેહ મળી આવ્યો હતો. ખેતરમાં બાજ પક્ષી મૃત અવસ્થામાં મળી આવતા ખેતર માલિકે આ અંગેની જાણ વનવિભાગને કરી છે. કોસમડી ગામ ખાતે આવેલ બોઇડ્રા રોડ ઉપર ખેતરમાં એક બાઝ પક્ષી આંબા ડાળેથી નીચે પટકાઈને તડફડીને મોતને ભેટયું હતું. ખેતર માલિક યુસુફભાઈ કોયા ખેતરમાં ટ્રેકટર ચલાવી ખેતર ખેડી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. છે.
વર્તમાનમાં બર્ડ ફ્લૂના વાવર વચ્ચે પક્ષીઓના મોતની ઘટનાઓ ઠેક ઠેકાણે બનવા પામી હતી. ત્યારે બર્ડફૂલુની આશંકા વચ્ચે બાજના મૃતદેહથી ભયનો માહોલ છવાયો છે. જીવ દયા પ્રેમી કે વન વિભાગ સહિતના સંલગ્ન અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી ઘટનાની ગંભીરતાથી નોંધ લઇ યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે.
Next Story