Connect Gujarat
સમાચાર

અંકલેશ્વર : ખરોડ ગામે એક જ રાતમાં 6 બંધ મકાનોના તાળા તૂટ્યા, પોલીસને પડકાર

અંકલેશ્વર : ખરોડ ગામે એક જ રાતમાં 6 બંધ મકાનોના તાળા તૂટ્યા, પોલીસને પડકાર
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે તસ્કરો એ 6 જેટલા બંધ મકાનો ને નિશાન બનાવી તાળા તોડી એક મકાન માંથી રોકડ રકમ અને બે મોબાઈલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જો કે, તસ્કરો એક મકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર ના ખરોડ ગામના ઉભા ફળીયામાં તસ્કરોએ અશરફ હતેહ માસ્તર,ઐયુબ બાલા,સઈદ બાલા, દાનિશ અન્સારી સહીતના 6 જેટલા બંધ મકાનોને નિશાન બનાવી દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી તિજોરી તેમજ કબાટો તોડ્યા હતા. જેમાં અશરફ ફતેહ માસ્તરના મકાનમાંથી રોકડ રકમ તેમજ બે મોબાઈલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જયારે તસ્કરોને અન્ય મકાનોમાં કઈ હાથ ન લાગ્યું હતું. આ ચોરી અંગેની જાણ આસપાસના રહીશોને થતા મકાન માલિકોને જાણ કરતા તો દોડી આવ્યા હતા અને તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવી એક મકાન બહાર લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા ત્રણથી વધુ તસ્કરો કેદ થયા હતા. તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે.

Next Story