અંકલેશ્વર : વાલિયા માર્ગ પર કોંઢ ગામ નજીક ટ્રકમાં લાગી આગ, ફાયર વિભાગ દોડ્યું
BY Connect Gujarat9 Nov 2020 9:50 AM GMT
X
Connect Gujarat9 Nov 2020 9:50 AM GMT
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કોંઢ ગામ નજીક એક ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. જોકે ટ્રકમાં આગ લાગતાં જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના વાલિયા તરફથી હાઈવા ટ્રકનો ચાલક અંકલેશ્વર તરફ આવી રહ્યો હતો તે દરમ્યાન વાલિયા-અંકલેશ્વર માર્ગ પર કોંઢ ગામ નજીક અચાનક ટ્રકના પાછળના ભાગે આગ ભભૂકી ઉઠી હતી, ત્યારે આગના પગલે ટ્રકના ટાયરો ભળકે બળવા લાગ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતી.
વાલિયા-અંકલેશ્વર માર્ગ પર કોંઢ ગામ નજીક ટ્રકમાં આગ લાગવાના બનાવની જાણ ફાયર વિભાગને થતાં ફાયર ફાઇટરો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં ફાયર ફાઇટરોએ ગણતરીની મિનિટોમાં જ ટ્રકમાં લાગેલ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગની ઘટનામાં સદનસીબે કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતના શ્વાસ લીધો હતો.
Next Story