Connect Gujarat
Featured

બનાસકાંઠા : મુખ્યમંત્રીએ સહ પરિવાર સાથે કર્યા મા અંબાના દર્શન, કોરોના મહામારીમાંથી દેશને ઉગારવા કરી પ્રાર્થના

બનાસકાંઠા : મુખ્યમંત્રીએ સહ પરિવાર સાથે કર્યા મા અંબાના દર્શન, કોરોના મહામારીમાંથી દેશને ઉગારવા કરી પ્રાર્થના
X

નવા વર્ષની શરૂઆત થતાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહ પરિવાર સાથે મા અંબાના દર્શનાર્થે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ધામ ખાતે આવી પહોચ્યા હતા. જેમાં ગુજરાત સહિત દેશ અને દુનિયાની પ્રજાને કોરોના મહામારી સામે રક્ષણ મળે તેવી પ્રાર્થના કરી હતી.

બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે વિશેષ પૂજા કરી હતી. જેમાં વિશ્વમાં વધતાં કોરોના વાયરસની મહામારીમાંથી દેશને વહેલી તકે મુક્ત કરવા માટે મા અંબાને પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ મા અંબાના આશિર્વાદ મેળવ્યા બાદ મહંતના પણ આશીર્વાદ મેળવી રક્ષા કવચ બંધાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નવા વર્ષે લાખો માઈભક્તો અંબાજી માતાના દર્શન માટે આવી રહ્યા છે, ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પરિવાર સાથે માતાજીના દર્શન કરી નવું વર્ષ પરિવાર અને ગુજરાત સહિત દેશ અને દુનિયાની પ્રજા માટે સુખી સંપન્ન રહે અને કોરોના મહામારીમાંથી લોકો વહેલી તકે બહાર નીકળે તેવી પ્રાર્થના કરી હતી.

Next Story