ભરુચના અંબિકાનગરમાં તસ્કરો ત્રાટક્યા, 6 લાખ ઉપરાંત ની મતાની ચોરી કરી
BY Connect Gujarat20 May 2019 9:00 AM GMT
X
Connect Gujarat20 May 2019 9:00 AM GMT
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ અંબિકાનગર સોસાયટીના બંધ મકાનની અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી મકાનમાં પ્રવેશી રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના ઉપર હાથફેરો કરી પલાયન થઈ જતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
ભરૂચના અંબિકાનગર સોસાયટી ના મકાન નંબર એ-3 મા રહેતા હરીશભાઇ ગુલવાણી પોતાના પરિવાર સાથે રવિવારની રજાની મજા માણવા દમણ ગયા હતા દરમિયાન તેઓના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી મકાનની ગેલેરી માંથી મકાન માં પ્રવેશી ઘરમાં રહે લોખંડ ની તિજોરી નું તાળું તોડી લોકર માં રહેલા રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી અંદાજિત છ લાખ ઉપરાંતની માથા ઉપર હાથફેરો કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા.
પરિવાર ઘરે પરત ફરતા ચોરીની જાણ થતા તેઓ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે પણ તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત શરૂ કરી છે.
Next Story