Home > Featured > ભરૂચ: ઝઘડીયામાં બોરોસીલ કંપનીની કેન્ટીનમાં કામ કરતાં કામદારે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
ભરૂચ: ઝઘડીયામાં બોરોસીલ કંપનીની કેન્ટીનમાં કામ કરતાં કામદારે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
BY Connect Gujarat14 March 2021 6:54 AM GMT
X
Connect Gujarat14 March 2021 6:54 AM GMT
ઝઘડીયા પાસે આવેલી બોરોસીલ કંપનીના કેન્ટીનમાં એક ઈસમે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુકાવયુ હોવાની ઘટના સામે આવી હતી. ઝઘડીયા પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ ઝઘડીયા પાસે આવેલી બોરોસીલ કંપનીની કેન્ટીનમાં પ્રમોદસીંગ અમરસીંગ ઉ.વષઁ 25 રહે. બોરોસીલ કંપની, જે બોરોસીલ કંપનીની કેન્ટીનમાં ચા-પાણી આપવાનું કામ કરતો હતો. જેને ગતરોજ સાંજનાં અરસા દરમ્યાન કોઈ કારણોસર બોરોસીલ કંપનીની કેન્ટીનની રૂમની છતમાંની લોખંડની એંગલ સાથે કાપડનો ગમછો બાધી ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુકાવી લેતાં ચકચાર મચી જવા પામી હતી.
આ ઘટનાની જાણ ઝઘડીયા પોલીસને થતાં ઝઘડીયા પોલીસ ઘટના સ્થળે પહોચી મરણ જનારના મૃતદેહનો કબજો લઈ પી.એમ. અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.
Next Story