ભરૂચ : ડૉ. બાબાસાહેબ આંબેડકરની 64મી પુણ્યતિથિ, પુષ્પાંજલિના યોજાયા કાર્યક્રમ
BY Connect Gujarat6 Dec 2020 11:09 AM GMT
X
Connect Gujarat6 Dec 2020 11:09 AM GMT
બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની 64 મી પુણ્યતિથિ નિમિત્તે આજે ભરૂચ શહેરના વિવિધ સંસ્થાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે.
ભરૂચ શહેરમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. ભરૂચના રેલવે સ્ટેશન નજીક આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપ અને કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓના આગેવાનો અને વિવિધ સેવાભાવી સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહયાં હતાં. ડૉ. બાબાસાહેબ દ્વારા આપવામાં આવેલ સૂત્ર “શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરોના” માર્ગ પર ચાલવા ઉપસ્થિતોએ શપથ લીધાં હતાં.
Next Story