Connect Gujarat
Featured

ભરૂચ: ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે બાપૂને શ્રધ્દ્ધાસુમન અર્પણ કરાયા

ભરૂચ: ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે બાપૂને શ્રધ્દ્ધાસુમન અર્પણ કરાયા
X

આજે તારીખ 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ભરૂચ અને અંકલેશ્વરમાં બાપૂને શ્રધ્દ્ધાસુમન અર્પણ કરતા કાર્યક્રમો યોજાયા હતા.

તારીખ 30 જાન્યુઆરી 1948ના રોજ મહામાનવ મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી ત્યારે આજે ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ભરૂચના વાલ્મીકિ વાસ ખાતે નગર સેવા સદન,નહેરુ યુવા કેન્દ્ર અને જન શિક્ષણ સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે શ્રમદાન કરવામાં આવ્યું હતું જેના નગર પાલિકાના મુખ્ય અધિકારી સંજય સોની,અધિકારીઓએ અને સંસ્થાના પ્રતિનિધિઓએ શ્રમદાન કરી બાપૂને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

આ તરફ અંકલેશ્વરના જી.આઈ.ડી.સી. અને શહેર પોલીસ મથક ખાતે પોલીસ જવાનો અને અધિકારીઓએ બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

Next Story