ભરૂચ પાંજરાપોળ ખાતે ગોપાષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો જોડાયા હતા. ભરૂચ પાંજરાપોળ ખાતે ગોપાષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ દિવસે ખાસ કરીને ગાય અને શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. ગાય માતામાં તમામ દેવી દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે. તેથી ગાયની સુરક્ષા થાય તે માટે આ પર્વની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના ગિરીશ શુક્લ,અજય વ્યાસ,બિપિન ભટ્ટ,વિરલ દેસાઈ,પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા સહિતના મહાનુભાવો ઉપસ્થીત રહ્યા હતા..