Connect Gujarat
ગુજરાત

ભરૂચ : કાસવા નજીક 2 બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોનું મોત

ભરૂચ : કાસવા નજીક 2 બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોનું મોત
X

ભરૂચ જિલ્લાના દહેજ માર્ગ પર આવેલા કાસવા ગામ નજીક બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે કુલ 3 લોકોનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ભરૂચના દહેજ માર્ગ પર આવેલા કાસવા ગામ નજીક બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવી 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. બે બાઇક સવારો સામસામે ધડાકાભેર ભટકાતાં સર્જાયેલ અકસ્માતમાં બે લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેમાં અન્ય 3 જેટલા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા એક દહેગામના વ્યક્તિ અને અન્ય બે કાસવા ગામના વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે સિવિલ હોસ્પિટલ ખાતે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા. હાલ તો પોલીસે 3 લોકોના અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story