Connect Gujarat
ગુજરાત

ભરૂચ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ અંતર્ગત યોજાયો સેમીનાર

ભરૂચ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ અંતર્ગત યોજાયો સેમીનાર
X

ભરૂચ ખાતે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ અંતર્ગત એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વડોદરામાં ગવરી હેલ્થકેર પ્રાઇવેટ લીમીટેડમાં રીસર્ચ સાયન્ટીસ્ટ તરીકે સેવા આપતા ડૉ.હિતેશ ચાવડા અતિથી તરીકે ખાસ ઉપસ્થીત રહ્યા હતા.જેમના દ્વારા “લિકવીડ ડોસેજ ફોર્મ” વિષયને આવરી લઈને વિસ્તૃત છણાવટ પૂર્વક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.કોલેજના વિદ્યાર્થીઓને સારી અને સાચી સમજ મળે અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ સાંધી કોલેજ તેમજ પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી યોજાયેલા આ સેમીનારમાં ખાસ મહેમાન બની પધારેલા વ્યાખ્યાતા ડૉ.હિતેશ ચાવડાને કોલેજના આચાર્ય ડૉ.કિશોર ઢોલવાણીએ પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા.તો મીસ રૂજુતા મિસ્ત્રીએ આભારવિધી કરી હતી. આ સમગ્ર સેમીનાર ડો.હસુમતી રાજના માર્ગદર્શનમાં યોજવામાં આવ્યો હતો.જેનો બહોળી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.

Next Story